ઓલ ઈન્ડિયા બાર એક્ઝામીનેશન માટે વડોદરા થી અમદાવાદ જવા માટે અગત્યની સૂચના

વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને જણાવવાનું કે,

વડોદરા વકીલ મંડળના ચૂંટાયેલા સક્રિય સભ્યો દ્વારા વડોદરા શહેર તેમજ જીલ્લાના વકીલશ્રીઓ માટે તારીખ : ૩૧/૧૦/૨૦૨૧ને રવિવારના રોજ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામીનેશનની એક્ઝામ હોય જેથી વડોદરા થી અમદાવાદ એલ. જી. કેમ્પસ તથા અમદાવાદના જે પણ સ્થળે એક્ઝામ હશે તે સ્થળે(સેન્ટર) લઈ જવા અને પરત લાવવા માટે વોલ્વો લકઝરી બસની વ્યવસ્થા સવારે ચા, કોફી તથા નાસ્તા તેમજ બપોરના સ્વાદિષ્ટ ભોજન સાથે નિઃ શુલ્ક કરવામાં આવેલ છે.

જેથી વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ઉપરોક્ત સેવાનો લાભ લેવા માંગતા હોય તો તેઓએ સક્રિય સભ્યોનો સંપર્ક સાધી રૂબરૂમાં આવી નીચે જણાવેલ તારીખ અને સમય સુધીમાં નીચે જણાવેલ સ્થળે નામની નોંધણી કરાવવા વિનંતી.

તારીખ : ૧૩/૧૦/૨૦૨૧ને બુધવારના રોજ થી તારીખ : ૨૫/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ સુધી
સમય : બપોરે ૧૨:૦૦ કલાક થી બપોર ૪:૦૦ કલાક સુધી
સ્થળ : એડવોકેટ હાઉસ, ન્યાય મંદિર કોર્ટ, દિવાળીપુરા, વડોદરા.

નોંધ : ટોકન પેટે ફી ₹ ૧૦૦ રાખવામાં આવેલ છે. જે વકીલશ્રીઓને બસમાં બેસતા પરત કરવામાં આવશે.

ટીમ બી. બી. એ
(વડોદરા વકીલ મંડળ)

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday