જી.એલ.એચ. પાના નં. ૫૬૯ ઉપરના ચુકાદામાં કલમ ૪૩૯ હેઠળની જામીન અરજીનો નિર્ણય કરતી વખતે ઠરાવેલ છે કે, અરજદાર ૬૭ વર્ષીની મહિલા ઉપર માહિતી આપનારની પુત્રીને લલચાવી, ભગાડી જવા બદલ તેના પુત્રને મદદ કર્યાનો આક્ષેપ છે અને એકઠા કરેલ પુરાવાથી એવું કહી શકાય નહી કે તેણીએ આવો ગુનો ઈ.પી.કો.ક. ૩૬૫,૩૬૬ હેઠળ કરેલ છે. નામદાર હાઈકોર્ટે વધુમાં ઠરાવેલ છે કે તેણીની જામીન અરજી નીચલી અદાલત દ્વારા રદ કરવામાં આવેલી છે. આવા કિસ્સાઓ કે કોઈ તકલીફ વિના જામીન આપી શકાયા હોત અથવા આરોપી ની તરફેણ મા પૂરતા ગુણદોષ હયાત હોવા છતા નીચલી અદાલતો ના જામીન મંજુર નહિ કરવાના વલણની હાઈકોર્ટે કડક ટીક્કા કરેલી છે અને જણાવેલ છે કે, નીચલી અદાલતો તેની જવાબદારીઓ ટાળવા માટે તથા ઉપરની અદાલત તરફથી કોઈ ટીકા થશે તેના ડરથી ઉચ્ચ અદાલત ઉપર બોજો નાખતી હોય છે. ન્યાયિક અધીકારીઓ અને તાબા હેઠળની અદાલતને આવો ડર દુર કરવા માટે હાઈકોર્ટે જણાવેલ છે અને વધુમાં જણાવેલ છે કે જે તે કિસ્સાના ગુણદોષના આધારે નિર્ણય લેવો. આમ ઠરાવી નામદાર હાઈકોર્ટે જામીન મંજુર કરેલા છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday